ખેડા જિલ્લાના નડિયાદનું ગૌરવ
નડિયાદના શિક્ષણવિદ્દ શૈલેષ રાઠોડનું સાહિત્ય સાધના એવોર્ડ દ્વારા સન્માન કરાયું
શિક્ષણમંત્રી રિવાબા જાડેજા અને સાહિત્યકાર રતિલાલ બોરીસાગરના હસ્તે
નડિયાદના શિક્ષણવિદ્દ શૈલેષ રાઠોડનું 'સાહિત્ય સાધના' એવોર્ડ દ્વારા સન્માન કરાયું
ગુજરાતના રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડી ટીચર્સ ફેડરેશન દ્વારા શિક્ષ્ણવિદ્દ શૈલેષ રાઠોડનું 'સાહિત્ય સાધના' એવોર્ડ દ્વારા સન્માન કરાયું
આણંદ ટુડે | નડિયાદ
ગુજરાતના રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ ટીચર્સ ફેડરેશન દ્વારા ગાંધીનગર સ્થિત આનંદ નિકેતન, સુઘડ ખાતે શિક્ષણમંત્રી રિવાબા આર. જાડેજા અને સાહિત્યકાર રતિલાલ બોરીસાગરના હસ્તે શિક્ષણવિદ્દ શૈલેષ રાઠોડનું 'સાહિત્ય સાધના' એવોર્ડ દ્વારા સન્માન કરાયું હતું.
ગુજરાતના શિક્ષણ જગતમાં પોતાની અનન્ય કાર્યનિષ્ઠા અને પૂર્ણ પ્રતિબદ્ધતા થકી વિવિધ સંનિષ્ઠ કામગીરી કરી વિરલ સિદ્ધિ હાંસલ કરનાર શૈલેષ રાઠોડનું સ્મૃતિ ચિહ્નન, ટ્રોફી, શોલ અર્પણ કરી સન્માન કરાયું હતું. તેમને 2018 માં રાજ્યપાલ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત થયા બાદ રાજ્યભરમાં વિધાર્થીઓ, વાલીઓ, શિક્ષકો માટે શૈક્ષણિક સાહિત્ય, પુસ્તકો, લેખો દ્વારા સતત શિક્ષણ સેવા કાર્યો બદલ વિશિષ્ટ સન્માન રૂપે સાહિત્ય સાધના' એવોર્ડ એનાયત કરાયો હતો.
આ પ્રસંગે શ્રીમતી રિવાબા આર. જાડેજામાન. રાજ્યકક્ષા મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ),ડૉ. કુબેરભાઇ ડીંડોરમાન. પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ) ડૉ. ટી. એસ. જોષી(વાઇસ ચાન્સેલર, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર),શ્રી વિવેક પટેલ (મેનેજિંગ ટ્રસ્ટી, આનંદ નિકેતન, સુઘડ), શ્રી ડૉ. ભગવાનભાઇ પ્રજાપતિ, (જિલ્લા શિક્ષણાધિકારી, ગાંધીનગર)
શ્રી રતિલાલ બોરીસાગર (શિક્ષણવિદ અને સાહિત્યકાર) સહીત અગ્રણીઓ, રાજ્ય રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે શૈલેષ રાઠોડ દ્વારા વિવિધ અખબારો, મેગેઝીનમાં શૈક્ષણિક કટાર લેખ ઉપરાંત 52 જેટલા પુસ્તકો લખવામાં આવ્યા છે.તેમના પુસ્તકોનો અંગ્રેજીમાં પણ અનુવાદ થયો છે. તેઓ માને છે,'એવોર્ડ માત્ર કબાટમાંમુકવા માટે નહીં પણ જીવવા માટે એનાયત થાય છે.'
તેમનું પુસ્તક 'શિક્ષણમાં 51 ઇનોવેશન', 'શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ', 'આત્માનું સૌંદર્ય' બેસ્ટ સેલર પુસ્તકોમાં સમાવેશ પામેલ છે.તેઓને રાષ્ટ્રીય કક્ષાએ બેંગ્લોર ખાતે 'ઇન્ડિયન એજ્યુકેશન' એવોર્ડ સહીત અનેક પુરસ્કારો એનાયત થયા છે.
આ પ્રસંગે શૈક્ષણિક ચિંતનના ભાગ રૂપે માનવીય મૂલ્યો વિષય ઉપર વક્તા શ્રી કમલ મંગલ - સ્થાપક આનંદ નિકેતન સુંદર પ્રેરક વિચારો રજૂ કર્યા હતા.
કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૪ના રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ પારિતોષિક શિક્ષકોનું સન્માન અને ગુજરાત રાજ્યની એસ.ટી.બસોમાં નિઃશુલ્ક મુસાફરીના સ્માર્ટકાર્ડ એનાયત કરાયા હતા.ઉપરાંત સાહિત્યસાધના, કલાસાધના, ડિજિટલ ગુરુ પારિતોષિક એનાયત કરાયા હતા.
કાર્યક્રમનું સંચાલન ફેડરેશનના પ્રમુખ સંજયભાઇ પટેલ અને મહામંત્રી શૈલેષભાઇ પટેલ અને આનંદ નિકેતન સંસ્થા દ્વારા કરાયું હતું.