1002996679

ઉત્તર ભારતનો લોકપ્રિય લોકોત્સવ - લોહરી

આજ કલ ઓર આજ

તા. 13 જાન્યુઆરી Dt. 13 JANUARY

તારીખ તવારીખ : સંકલન :વિજય એમ. ઠક્કર

ઉત્તર ભારતનો લોકપ્રિય લોકોત્સવ - લોહરી

ભારતના ઉત્તરીય પ્રદેશ પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં, લોહરી એક લોકપ્રિય તહેવાર છે જે દર વર્ષે મકરસંક્રાંતિ પર્વના બરાબર એક દિવસ પહેલા એટલે કે 13મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે

 આ પર્વ શિયાળાના અંત અને વસંતના આગમનની ખુશીમાં ઉજવાય છે. આગ પ્રગટાવી તેની પરિક્રમા કરવી, તલ, રેવડી, મગફળી અર્પણ કરવી એ સમૃદ્ધિ, સુખ અને સારી પાકની કામના દર્શાવે છે. લોહરી ખાસ કરીને ખેડૂત સમુદાય માટે નવી ખેતી ઋતુની શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે.

* ભારતનાં પહેલા અવકાશયાત્રી રાકેશ શર્માનો પટિયાલા શહેરમાં જન્મ (1949)

સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત વિન્ગ કમાન્ડર રાકેશ શર્મા ઈન્ડિયન એર ફોર્સમાં ટેસ્ટ પાઈલટ હતાં

સોવિયેત ઇન્ટરકોસમોસ પ્રોગ્રામના ભાગરૂપે તા. 3 એપ્રિલ, 1984નાં રોજ સોયુઝ ટી-11 અવકાશયાન દ્વારા ભારતનાં રાકેશ શર્માએ અવકાશ તરફ પ્રયાણ કર્યુ અને તેમણે અવકાશમાં 7 દિવસ, 21 કલાક અને 40 મિનિટનો સમય ગાળ્યો હતો

તેઓ અવકાશમાં મુસાફરી કરનાર એકમાત્ર ભારતીય નાગરિક છે, જો કે કેટલાક ભારતીય પૃષ્ઠભૂમિ ધરાવતા અન્ય અવકાશયાત્રીઓ છે જેઓ ભારતીય નાગરિકો નથી

* મરણોત્તર અશોક ચક્રથી સન્માનિત ભારતીય સેનાના અધિકારી મેજર મોહિત શર્માનો જન્મ (1978)

દેશ માટે કંઈ પણ કરવાની ભાવના સાથે મેજર મોહિત શર્મા બ્રાવો એસોલ્ટ ટીમનું નેતૃત્વ કરતા 1 પેરા સ્પેશિયલ ફોર્સના કમાન્ડો હતા ને ભારતીય સેનાના એ નાયકે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓને મારી નાખ્યા તે દરમિયાન તા. 21 માર્ચ 2009ના રોજ ઉત્તર કાશ્મીરના કુપવાડામાં શહીદ થયા હતા 

* 'રણજિતરામ સુવર્ણચંદ્રક’, ‘મહિડા પારિતોષિક’, ‘નર્મદ સુવર્ણચંદ્રક’ તેમજ ‘સાહિત્ય અકાદમી’ દિલ્હીનાં પુરસ્કારથી સન્માનિત ગુજરાતી સાહિત્યકાર ત્રિભુવન પુરુષોત્તમદાસ લુહાર ‘સુંદરમ્'નું અવસાન (1991)

* પદ્મશ્રી અને પદ્મ વિભૂષણથી સન્માનિત અને વિશ્વભરમાં જાણીતા સંતૂર વાદક શિવકુમાર શર્માનો જમ્મુ ખાતે જન્મ (1938)

* શ્રીમંત પરિવારમાં મ્યાનમારમાં જન્મ અને ભારતના સૌથી નાની વયના મહિલા જાસૂસ સરસ્વતી રાજામણીનું અવસાન (2020)

તેઓ 16 વર્ષની ઉંમરે નેતાજી સુભાષ ચંદ્ર બોઝના શક્તિશાળી શબ્દોથી પ્રેરિત થઈ સિંગાપોરમાં આઝાદ હિંદ ફોજમાં જોડાઈ સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવ્યું અને સરસ્વતી રાજમણિ તેમની સાથી દુર્ગા સાથે અંગ્રેજ સૈનિકોની છાવણીમાં વાળ કાપી એક છોકરા તરીકે શિબિરમાં રહી બ્રિટિશ સૈનિકોના કપડાં ધોતી અને પગરખાં પોલીશ કરતી વખતે તેમણે ઘણી મહત્વની માહિતી એકઠી કરી હતી

* પારસી પરિવારના ભારતીય ક્રિકેટર (26 ટેસ્ટ રમનાર) રુસી ફ્રેમરોઝનું અવસાન (2013) 

* ગુજરાતનાં સાંસ્કૃતિક ઇતિહાસકાર ડૉ. પ્રિયબાળાબેન જીવણલાલ શાહનો અમદાવાદમાં જન્મ (1920)

* 'પદ્મભૂષણ’ પુરસ્કારથી સન્માનિત તબલાવાદક ઉસ્તાદ અહમદજાન ‘થિરકવા’નું અવસાન (1976)

* બોલિવૂડ ફિલ્મોના સંગીતકાર સરદાર મલિકનો પંજાબના કપૂરથલા ખાતે જન્મ (1925)

* બોલિવૂડ ફિલ્મોના નિર્માતા દિગ્દર્શક શક્તિ સામંતાનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1926)

* હિન્દી અને ઉર્દુ પટકથા લેખક, સંવાદ લેખક અને નાટ્યકાર જાવેદ સિદ્દીકીનો જન્મ (1942) 

* હિન્દી ફિલ્મ અને થિયેટર અભિનેતા, સંગીત નિર્દેશક, ગીતકાર, ગાયક અને સ્ક્રિપ્ટરાઈટર પીયૂષ મિશ્રાનો જન્મ (1963)

* હિન્દી અને પંજાબી ફિલ્મોના અભિનેતા મદન પુરીનું અવસાન (1985)

* તેલુગુ - તમિલ ફિલ્મોમાં અભિનેત્રી, મોડલ અને નિર્માતા અંજલિ દેવીનું અવસાન (2014)

* ઓડિયા સિનેમાને આંતરરાષ્ટ્રીય સ્તરે લાવવામાં અજોડ યોગદાન આપનાર ઉડિયા ફિલ્મ નિર્માતા-નિર્દેશક મનમોહન મહાપાત્રાનું ભુવનેશ્વરમાં અવસાન (2020) 

* બોલિવૂડ અને અમેરિકન ફિલ્મોના અભિનેતા ઈમરાન ખાનનો અમેરિકામાં જન્મ (1983)

* બોલિવૂડ ફિલ્મોના અભિનેતા અસમિત પટેલનો જન્મ (1978)

* ગુજરાતી ફિલ્મ 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' રજૂ થઇ, જે આજે સૌથી સફળ ગુજરાતી ફિલ્મ છે (1998)

હિતેનકુમાર, રોમા માણેક, અરવિંદ ત્રિવેદી અને રમેશ મહેતા અભિનિત આ ફિલ્મ નિર્માતા - નિર્દેશક ગોવિંદભાઇ પટેલ છે ને, રૂપિયા ૧૦ અને ૧૫ ની ફિલ્મ ટિકિટના જમાનામાં લગભગ ₹૨૨ કરોડની આસપાસનો વકરો કર્યો હતો. તે સમયે આ ફિલ્મ ગુજરાતી ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી. ત્યાર બાદ ચાલ જીવી લઈએ! તેનો રેકોર્ડ તોડ્યો હતો. તે હજી પણ બીજી સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ છે. 

* ભારતમાં રમાયેલ મહિલાઓના બીજા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા ટીમ ( ઈંગ્લેન્ડ સામે) વિજેતા જાહેર થઈ (1978)

તે સમયે વેસ્ટ ઇન્ડિઝ અને હોલેન્ડની ટીમોએ પોતાના નામ પાછા ખેંચ્યા હતા અને તેથી માત્ર ૪ ટીમ ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ વચ્ચે આ સ્પર્ધા યોજાઇ હતી 

ભારતની ટીમના તમામ ખેલાડીઓ પ્રથમ મેચ રમવા સાથે નવોદિત હતા

 

***