
આણંદ ટુડે | વલ્લભ વિદ્યાનગર
ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ અને મૈત્રી પરિવાર વલ્લભ વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે ગંગાબા પંચાલ છાત્રાલય, કરમસદ રોડ, વલ્લભ વિદ્યાનગર ખાતે રવિવારના રોજ ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલના પ્રમુખ અલ્પેશ પુરોહિત,આણંદના જાણીતા બિલ્ડર અને દિવ્ય સમાચાર દૈનિકના માલિક દશરથભાઈ પ્રજાપતિ, તથા સાવજસિંહ ગોહિલ (ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલના સભ્ય )ની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ તેમજ મૈત્રી મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલના પ્રમુખ અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે, ગૌશાળાની સેવાકીય પ્રવૃત્તિઓ પ્રત્યે સંસ્થાનો ધ્યેય અડગ છે અને સમાજહિત માટેના કાર્યો સતત ચાલુ રહેશે. તેમણે ઉમેર્યું હતું કે ગૌ શાળાનો સંકલ્પ કોઈપણ પરિસ્થિતિમાં છોડવામાં આવ્યો નથી.
પત્રકાર પરિષદ દરમિયાન શાન નવરાત્રી મહોત્સવ દરમ્યાન થયેલા તમામ આવક-ખર્ચનો સંપૂર્ણ અને પારદર્શક હિસાબ પત્રકારો સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ બાદ દર વર્ષની પરંપરા મુજબ મૈત્રી મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું .
મૈત્રી મિલન સમારોહમાં ઉપસ્થિત પત્રકાર મિત્રો તેમજ આમંત્રિત મહાનુભાવોએ લીલી હળદરનું શાક, રોટલા અને મીઠી મધુર છાશનો સ્વાદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.