1001576115

મહત્વના સમાચાર

મહત્વના સમાચાર

કેરળમાં ચોમાસાનું આગમન

આજે એટલે કે 24 મે 2025ના રોજ નેઋત્યનું ચોમાસું કેરળમાં પ્રવેશ કરી ચૂક્યું છે જેની સત્તાવાર રીતે જાહેરાત કેન્દ્રીય હવામાન વિભાગે કરી છે. કેરળની અંદર સામાન્ય રીતે ચોમાસુ 1 જૂનના રોજ આવતું હોય છે. ઘણી વખત 24 કે 48 કલાક વહેલું પણ આવે છે પણ આ વર્ષે ચોમાસું સમય કરતાં 8 દિવસ કેરળમાં વહેલું આવ્યું છે. જોકે આગળ હવામાન કેટલો સપોર્ટ કરે તેના પર આધાર રહેશે કે ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે.

કચ્છથી પાકિસ્તાન માટે જાસૂસી કરતો શખ્સ ઝડપાયો

ગુજરાત ATS ને પણ સફળતા મળી છે. કચ્છના નારાયણ સરોવર વિસ્તારમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક માતાના મઢમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતો હતો. આ સાથે જ તે BSF અને નેવીની મહત્ત્વની ગુપ્ત માહિતી વોટ્સએપ દ્વારા પાકિસ્તાનના એજન્ટને મોકલતો હતો.

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત. શુભમન ગિલ નવો કેપ્ટન

ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં તેને યજમાન ટીમ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ શ્રેણી માટે ભારતીય ટીમ અને નવા ટેસ્ટ કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે. જ્યારે ઋષભ પંતને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની 18 સભ્યોની ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શરુરહુરમાન, શરુરમાન, અભીરુમાન, અભયકુમાર રેડ્ડી. મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.

બનાસકાંઠા સરહદે પાકિસ્તાની ઘૂષણખોર ઠાર

ગુજરાતની બનાસકાંઠા સરહદે પાકિસ્તાની ઘુષણખોરી કરતા ઝડપાયો હતો. BSFની ચેતવણી છતાં ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. BSFએ પહેલા ઘૂસણખોરને ચેતવણી આપી હતી. ચેતવણી છતાં ઘૂષણખોરીનો પ્રયાસ કરતા BSFએ એ પાકિસ્તાનીને ઠાર માર્યો હતો.

રત્ન કલાકારો માટે ખાસ સહાય પેકેજ જાહેર

છેલ્લા ત્રણ વર્ષથી હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી સૌથી લાંબી મંદીના કારણે બેરોજગાર બનેલા રત્નકલાકારો માટે રાજ્ય સરકારે આજે આખરે રાહત પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગત 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશનના હોદ્દેદારો સાથે યોજાયેલી બેઠકના 74 દિવસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પેકેજની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રત્નકલાકારોના સંતાનોની એક વર્ષની શિક્ષણ ફી મહત્તમ ₹13,500 સુધી માફ કરવામાં આવશે, જે સરકાર દ્વારા DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) મારફત ચૂકવવામાં આવશે.